કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં જરૂરતમંદ પરિવારોને મદદરૂપ બનવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી વિજયભાઈ દ્વારા કરાયેલી અપીલને ધ્યાને લઈને મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા જરૂરતમંદ પરિવારો માટે ૫ હજાર રાશન કીટનું વિતરણ હાથ ધરાયું છે. લોકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ હોઈ આ રાશન કીટ રોજનું કમાઈ રોજ ખાનારા શ્રમજીવી પરિવારોને મુશ્કેલી પડતી હોઈ આ રાશન કીટ આવા પરિવારોને અપાશે. આ ઉપરાંત સાંસદ શ્રી ચાવડાએ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં એક લાખનું અનુદાન આપ્યું છે. તો, પોતાની ગ્રાન્ટ માંથી તેમણે અકીલા મોરબી, માળીયા, કચ્છ ના તાલુકા મથક તેમ જ શહેરી વિસ્તારોમાં પોતાની ૧ કરોડ રૂપિયાની ગ્રાન્ટ કોરોના માટે ફાળવી છે.