Skip to content

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ત્રસ્ત છે આ વૈશ્વિક મહામારીને ભારતમાં નિર્મુળ કરવા આપના તરફથી થયેલ કુશળ કાર્યવાહીને પ્રજાજનોએ અમલમાં મુકી, જેની નોધ સમગ્ર વિશ્વએ લીધી દેશ ઉપર આવી પડેલ આ આપત્તીના કપરા કાળમા ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર હમેશા દેશ સેવા માટે કટ્ટીબધ્ધ છે. ભગવાન શ્રીસ્વામિનારાયણનો “સર્વજીવ હિતાવહ’ નો સંદેશ અને આર્ષદ્રષ્ટા ત્દષિમુનિઓની “સર્વે સત્તુ નિરામયા’ની ઉમદા ભાવનાને ભુજ મંદિરે હંમેશા કેન્દ્રસ્થાને રાખી છે. જે અન્વયે સહીયારા પ્રયાસથી કોરોના જેવી મહામારીને પરાસ્ત કરીને સામાન્ય જનજીવન સ્વસ્થ કરવા હેતુ ભુજ મંદિરના મહંત સ.ગુ.પુ.સ્વામી ધર્મનંદનદાસજી ,સ.ગુ.સ્વામી પ્રેમપ્રકાશદાસજી, કોઠારી પાર્ષદ વર્ય જાદવજી ભગત, માંડવી શ્રીસ્વામિનારાયણ મંદિરના સ.ગુ.સ્વામી ભગવત્જીવનદાસજી, અંજાર શ્રીસ્વામિનારાયણ મંદિરના સ.ગુ.સ્વામી બાલકૃષ્ણદાસજી, પ્રસાદી શ્રીસ્વામિનારાયણ મંદિરના સ.ગુ.સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજી, સ.ગુ.સ્વામી નિરક્ષમુક્તદાસજી , સ.ગુ.સ્વામી દેવકૃષ્ણદાસજી,સ.ગુ.સ્વામી શ્રીહરિદાસજી, સ.ગુ.સ્વામી જગતપાવનદાસજી, સ.ગુ.સ્વામી કેશવજીવનદાસજી, ભુજ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી આદિ સમસ્ત સંતોની તથા મુખ્ય કોઠારી રામજીભાઇ વેકરીયા ઉપ-કોઠારી મુરજીભાઈ શીયાણી આદિ ટ્રસ્્ટીમંડળની સામુહીક દેશ સેવા સ્વરૂપે રૂ.૫૧,૦૦,૦૦૦ /- રૂપીયા મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરાયા.