કચ્છમાં ખેડૂતોના શિયાળુ પાકને બચાવવા માટે ખાતરનો ડેપો ચાલુ રાખવા માગણી

કોવિડ-૧૯ના કારણે  ખેડુતોની સિૃથતી ફરી કફોડી બની છે. ગત વર્ષે અનેક કુદરતી આફતોમાં કિસાનોનો પાક સપડાયો હતો જેના કારણે આિાર્થક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. તો આ વર્ષે કમોસમી વરસાદ સાથે કોરોના થકી મુશ્કેલી ઉભી થઈ છે. લોકડાઉનના કારણે ખેડુતોનો ઉભો પાક મુરઝાઈ જાય તેવી સિૃથતી ઉભી થાય તે પહેલા ખાતર ડેપો ચાલુ કરાય તેવી માંગણી કરાઈ છે. રાપરના ધારાસભ્ય દ્વારા આ અંગે કરાયેલી માંગણીમાં જણાવાયું છે કે, કચ્છના ખેડુતોની સિૃથતી અત્યંત નાજુક બની છે. તાજેતરમાં કમોસમી વરસાદે નુકશાન વેર્યું છે તેમજ હાલની સિૃથતિમાં સમગ્ર કચ્છના ખેડુતોએ શિયાળું પાકની વાવણી કરેલી છે તેને બચાવવાની ખાસ જરૃરીયાત છે. લોકડાઉનના પગલે તમામ દુકાનો ,ખાતર ડેપોને તાળા મારી દેવાતા દવા અને ખાતર મળતા નાથી. જેના કારણે શિયાળુ પાક પણ નિષ્ફળ જવાનો કિસાનોમાં ડર ઉભો થયો છે. ખેડુતો દ્વારા વાવણી થયેલા શિયાળુ પાકને જો સમયસર દવાઓ અને ખાતર નહીં મ ળે તો ફરી રોવાનો વારો આવશે . વર્તમાન સિૃથતીમાં જીવન જરૃરીયાતની ચીજોને પરમીશન આપવામાં આવી છે તે રીતે કચ્છના ખાતરડેપોને ખુલ્લા રાખવા છુટછાટ અપાય તેવી માંગણી કરાઈ છે.