આદિપુર પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા શિણાય માં રહેતા ગિરધારી લાલ કેશવજી વાઘમશી ને તબીબી દેખરેખ માં 14 દિવસ હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા પરંતુ તે ઘરમાં જ રહેવાના બદલે આટા ફેરા કરતા હોય પોલીસે તેની અટક કરી હતી અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુતરીયા એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તેમની સામે ગુનો નોંધીને ફરી તેમને કોરોન્ટાઇન કરાયા હતા.