ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના વધુ 94 કેસ, કુલ સંક્રમિત દર્દીઓનો આંક 2,272 થયો

કોરોના વાયરસના અજગરી ભરડામાં સપડાયેલા ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસની તુલનાએ આજે કેસોની સંખ્યા નિયંત્રીત રહી હોવાનું જોવા મળે છે. આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિના જણાવ્યા મુજબ રાજ્યમાં ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં વધુ 94 કેસ સામે આવ્યા છે જેને પગલે રાજ્યમાં કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 2,272ને આંબી ગઈ છે. અમદાવાદમાં વધુ ચાર દર્દીઓનો મોત થયા છે જ્યારે વલસાડમાં 21 વર્ષીય દર્દી જેને બ્રેઈન ટ્યુમર હતું તેનું મોત થતા રાજ્યમાં કુલ મૃતકોની સંખ્યા 95 પર પહોંચી છે.

બુધવારે રાજ્યમાં નવા કેસો જે નોંધાયા છે તેમાં અમદાવાદમાં 61, સુરતમાં 17, વડોદરામાં આઠસ અરવલ્લીમાં પાંચ, બોટાદમાં બે અને રાજકોટમાં એક કેસનો સમાવેશ થાય છે. મોટાભાગના કેસ હોટ સ્પોટ વિસ્તારમાંથી જ આવ્યા હોવાનું જણાયું છે તેમ ડો. રવિએ ઉમેર્યું હતું.