છેલ્લા દોઢ મહિનાથી ગુજરાતમાં તમામ નાના-મધ્યમ વેપારીઓની દુકાનો બંધ છે.?

કારીગરોની રોજગારી પણ બંધ છે અને કોઇપણ પ્રકારનું કામ કરીને પોતાના પરીવારનું ગુજરાન કરતા લાખો વ્યક્તિઓને આવક ખૂબ જ ઓછી થઇ ગયેલ છે અથવા બંધ છે. તેવા લાખો લોકોને રાજ્યની નાગરીક સહકારી બેંકો મોટા પ્રમાણમાં લોન આપે અને આ લોન ઉપરના વ્યાજમાં રાજ્ય સરકાર વ્યાજ સહાય સબસીડી આપે તે માટેનું પેકેજ તૈયાર કરવા માટે ગુજરાત અર્બન કો.ઓ.બેંક ફેડરેશન અને જિલ્લા સહકારી બેંકોના ફેડરેશન સાથે તથા આ બેંકોના અગ્રણીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રી અને નાણા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ આ પેકેજ તૈયાર કરી માન.મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા વિચારણા કરી, આ યોજનાની જાહેરાત કરવામાં આવશે. જેનો લાભ નાના વેપારીઓ, કારીગરો અને શ્રમિકોને મોટા પ્રમાણમાં લાભ મળશે.