જરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા શુક્રવારે પણ ચિંતાજનક રીતે વધી હતી. આજે વધુ 390 કેસ નોંધાયા છે જ્યારે 163 લોકો સ્વસ્થ થઈ ડીસ્ચાર્જ થયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા રાજ્યમાં 7402 થઈ છે. આજે રાજ્યમાં 24 લોકોના મોત નીપજ્યા છે જેમાંથી 13 દર્દી કોરોનાના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે જ્યારે 11 દર્દી એવા હતા જેમને કોરોના ઉપરાંત કોઈ બીમારી હોય. અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલા 7403 દર્દીમાંથી 1872 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 449 દર્દીના મોત નીપજ્યા છે. હાલ જે એક્ટિવ દર્દી છે તેમાંથી 5056 દર્દી સ્ટેબલ પર છે જ્યારે 26 દર્દી વેન્ટીલેટર પર છે.