અફઘાનિસ્તાન નંગરહારમાં વિસ્ફોટમાં 40 લોકોના મોત, પોલીસ અધિકારીના જનાજામાં આત્મઘાતી હુમલો


કાબુલ. અફઘાનિસ્તાનના નંગરહાર વિસ્તારમાં મંગળવારે બોમ્બ વિસ્ફોટમાં 40 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલથયાછે.આવિસ્ફોટનંગરહારરાજ્યમાં પોલીસ અધિકારી હાજી શેખઈકરામનાજનાજાદરમિયાનથયોહતો. રાજ્યપાલ ઉત્તાઉલ્લા ખોગ્યાનીના જણાવ્યા મુજબ આત્મઘાતી હુમલાખોરે આ ઘટનાને અંજામ આપ્યો છે. ઘાયલો વિશે જાણકારી મેળવાઈ રહી છે. જોકે હજુ સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. હાજી શેખ ખેવા જિલ્લાના પોલીસ અધિકારી હતા. સોમવારે રાત્રે હ્રદયરોગના હુમલાથી તેમનું મોત થયું હતું. મંગળવાર સવારે તેમનો જનાજો નિકળ્યો હતો. આ દરમિયાન આત્મઘાતી હુમલાખોર જનાજામાં સામેલ થઈ ગયો હતો અને પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી.
સોમવારે કાબુલમાં ચાર બોમ્બ વિસ્ફોટ થયા હતા
કાબુલમાં સોમવારે ચાર બોમ્બ વિસ્ફોટ થયા હતા. તેમા એક બોમ્બ કચરાના ડબ્બામાં અને ત્રણ રસ્તાના કિનારે રાખ્યો હતો. કાબુલ પોલીસના જણાવ્યા મુજબ બોમ્બ 10થી 20 મીટરના અંતરે રખાયા હતા. આ વિસ્ફોટમાં 12 વર્ષની બાળકસહિતચારલોકોઘાયલથયાહતા. આપહેલાગુરુવારે અહીંના પાવર સ્ટેશન ઉપર રોકેટથી હુમલો કરાયો હતો.