અંધશ્રદ્ધાની હદ પાર: ડાકણના વહેમમાં મહિલા સહિત બે યુવતીઓને ગામના ઇસમોએ માર માર્યો

ગુજરાતમાં આજે અંધશ્રદ્ધાનો કેટલાંયે લોકો ભોગ બની રહ્યા છે ગુજરાતમાં છાસવારે અંધશ્રદ્ધાની આડ હેઠળ ક્રૂરતા આચરવામાં આવતી હોય છે.. ત્યારે અવાર નવાર રાજ્યના કેટલાંય વિસ્તારોમાંથી ડાકણ, ભૂતનો વહેમ રાખીને ખોટા ભૂતભુવાડામાં ફસાતા હોય છે. જેમાં ડાકણનો વહેમ રાખી 3 મહિલાઓને માર માર્યો છે.દહેજના દેવગઢબારીયાના ડભવા ગામનો આ અજીબો ગરીબ ઘટના ચર્ચાનો વિષય બની છે. આ ઘટનામાં 8થી 10 શખ્સોએ મહિલાઓ પર જીવલેણ હુમલો કર્યો છે, જેથી 3 મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ગોધરા સિવિલમાં ખસેડવામાં આવી છે.આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દેવગઢબારીયાના ડભવા ગામે ડાકણનો વહેમ રાખી મહીલા અને બે યુવતીને ઢોર માર મારવાની ઘટનાએ ભારે ચર્ચા પકડી છે. આ ઘટનામાં મહીલા અને બે યુવતી ઉપર ગામના જ 8થી 10 ઇસમોએ તેમનાં ડાકણ હોવાનો વહેમ રાખી જીવલેણ હુમલો કર્યો છે. જેથી મહીલા અને યુવતીની ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.અગાઉ પણ દાહોદ જિલ્લામાં એક એવી ઘટના સામે આવી હતી, જેણે સાંભળીને કોઈનું પણ દિલ હચમચી જાય તેમ છે. ઝાલોદના ટાઢાગોળામાં ડાકણના વહેમમાં ડામ આપ્યા હતો. તેમજ દેરાણી-જેઠાણીને નગ્ન કરી ઝાડ સાથે બાંધી ડામ આપવામાં આવ્યા હતા. બંનેને હાથ-પગ પર ગરમ સળિયા અને લાકડાથી ડામ આપ્યા છે. MPના ભુવાએ ભત્રીજાના મોતના જવાબદાર ગણાવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.