મોરબીના જેતપર ગામે ઇલેક્ટ્રિક શોટ લાગતા માતાનું મોત: બાળકને હોસ્પિટલ ખસેડાયો

મોરબીના જેતપર ખરાવાડમાં રહેતા નાનકીબેન જશુભાઈ ટોકરીયા આદિવાસી (ઉ.વ.૨૫) નામની મહિલા રહેણાંક દરવાજો બંધ કરવા જતા ત્યાંથી પસાર થતા ઇલેક્ટ્રિક વાયરને અકસ્માતે અડી જતા શોટ લાગતા મોત થયું છે જયારે તેનો પુત્ર અવિન (ઉ.વ.૪) પણ અડી જતા શોટ લાગતા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે મૃતક મહિલાનો લગ્નગાળો  વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે.