આણંદ ગામમાં ખોદકામ કરવાની ના પાડતાં માતા-પુત્રને માર માર્યો

આણંદ શહેરના લોટીયા ભાગોળ ખાતે આવેલા અંબિકા ચોકમાં રહેતા કોકીલાબેન અરવિંદભાઈ પરમારના ઘરની પાછળ આવેલા નવેરામાં કનુભાઈ પુંજાભાઈ ચાવડા ગત ૧૪મી તારીખના રોજ બપોરના બે વાગ્યાના સુમારે નરાશ લઈને ખોદકામ કરતા હતા. જેથી કોકિલાબેને ખોદકામ નહીં કરવાનો ઠપકો આપતાં તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને કોકિલાબેન સાથે ઝપાઝપી કરીને ગમે તેવી ગાળો બોલી હતી….