પત્નીને પિયર લેવા જવા માટે મિત્રએ મિત્ર પર હુમલો કર્યો: નહાઈને જઈએ તેમ કહેતા યુવકને ખોટું લાગતા માર્યા છરીના ઘા

અમદાવાદ:શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં મિત્રએ મિત્ર પર જીવલેણ હુમલો કર્યો છે. યુવકે તેના મિત્રને પત્નીને લેવા વિરમગામ જવાનું હોવાથી સાથે આવવા કહ્યું હતું. મિત્રએ નહાઈને જઈએ તેમ કહેતા યુવકને ખોટું લાગ્યું હતું. થોડીવાર બાદ અન્ય લોકો સાથે ઝઘડીને આવેશમાં આવી ગયો અને છરીના ઘા મારીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે સોલા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  સોલાબ્રિજ નીચે પેટ્રોલ પૂરું થઈ જતા તે વાહન લઈને પરત આવતો હતો. રાકેશએ કહ્યું કે, તેની પત્ની રિસાઈને પિયર વિરમગામ ગઇ છે તો તેને જઈને લઈ આવીએ. ત્યારે માંગીરાવએ કહ્યું કે, તે ન્હાયો નથી તો નહાઈને જઈએ. આ વાત સાંભળીને રાકેશ થોડીવાર ત્યાંથી જતો રહ્યો હતો અને અન્ય લોકો સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને આવેશમાં આવી ગયો હતો. માંગીરાવને ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. સોલા પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ કરી તો ત્યાં ઝાડમાંથી છરી કાઢીને મારી હોવાનું સામે આવ્યું હતું. સોલા પોલીસે રાકેશ સામે હત્યાની કોશિશ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.