ગોંડલમાં બિમારી સબબ આધેડનું મોત

ગોંડલ :  ઘોઘાવદર ચોકમાં અજાણ્યા પુરૂષની લાશ પડી હોવાની જાહેરાત થતાં સીટી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં મૃતક કમલેશભાઇ શિવપ્રકાશભાઇ રજપૂત (ઉ.વ.૫૦) રહે. મોવિયા રોડ, પશુ દવાખાના રોડ હોવાનું ખુલ્યું હતું અને બિમારી સબબ તેનું મોત નિપજ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.