વાંકાનેરના કશીયાગાળા ગામે ડુબી જતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના કશીયાગાળા ગામની સીમમાં પાણીમાં ડૂબી જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવની જાણવા મળી રહેલી માહિતી મુજબ કશીયાગાળા ગામમાં રહેતા કેશુભાઈ અમરશીભાઈ ધરજીયા (45) ગામની સીમમાં આવેલ ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથધરી છે.