સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા નો મામલો CBI તપાસથી મળશે ન્યાય- બિહાર CM નીતીશ કુમાર


બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા (SSR Death Case)ને લઈ ચાલી રહેલી દેશવ્યાપી ચર્ચાની વચ્ચે આજે બિહાર સરકારે કેસની તપાસ સીબીઆઈ (CBI)ને આપવાની ભલામણ કરી દીધી છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર (CM Nitish Kumar)એ ત્યારબાદ News18 સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં કહ્યું કે સુશાંતનું જે રીતે મૃત્યુ થયું, તેને લઈને દેશભરમાં ચિંતા છે. તેમની સાથે અન્યાય થયો, તે બધા જાણે છે. સુશાંતના પિતાએ તેને લઈને જ પટનામાં એફઆઈઆર નોંધાવી હતી, ત્યારબાદથી બિહાર પોલીસ (Bihar Police) તેની તપાસ કરી રહી છે. પરંતુ કેસની તપાસ કરવા ગયેલા બિહારના પોલીસ અધિકારીની સાથે જે રીતે મહારાષ્ટ્રમાં વ્યવહાર કરવામાં આવ્યો, તે યોગ્ય નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે આ મામલામાં તેઓએ પહેલા જ કહ્યું હતું કે જો સુશાંતના પિતા ઈચ્છે તો મામલાની સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવશે. આજે તેના આધારે પર સરકારે આ ભલામણ કરી છે.
નીતીશ કુમારે જણાવ્યું કે, આજે સવારે સુશાંત સિંહ રાજપૂતના પિતાની સાથે બિહારના ડીજીપીએ વાતચીત કરી. તેઓએ CBI તપાસની વાત પર સહમતિ દર્શાવી. ડીજીપીએ જ્યારે તેની જાણકારી આપી, ત્યારે CBI તપાસની ભલામણ કરવામાં આવી. મુખ્યમંત્રીએ કહ્યું કે, સુશાંતના પિતાજીએ એફઆઈઆર નોંધાવી હતી, તેના આધારે બિહાર પોલીસ તપાસ કરી રહી હતી. પરંતુ તમામ જગ્યાએથી એ માંગ થઈ રહી હતી કે મામલાની સીબીઆઈ તપાસ થાય. અમે શરૂઆતમાં જ કહ્યું હતું કે સુશાંતના પિતાજી ઈચ્છે તો સીબીઆઈ તપાસ કરાવીશું. આજે તેઓએ સહમતિ દર્શાવી, ત્યારબાદ ભલામણ કરવામાં આવી. આજે જ આ પ્રસ્તાવ મોકલવામાં આવશે.
આ રાજકારણ નથી, કાયદાકિય મામલો બિહાર અને મહારાષ્ટ્ર પોલીસની વચ્ચે મામલાને લઈ ચાલી રહેલા ઘર્ષણ અને પોલીસ અધિકારીને ક્વૉરન્ટીન કરવાના સવાલ પર નીતીશ કુમારે કહ્યું કે, આ મામલાની એફઆઈઆર પટનામાં નોંધવામાં આવી હતી, તેથી અહીંની પોલીસ તપાસ કરી રહી હતી. તે બિહાર પોલીસની કાયદાકિય જવાબદારી છે. એવામાં બિહારના પોલીસ અધિકારીની સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર કરવામાં આવે તે યોગ્ય નથી. આ કાયદાકિય મામલો છે, જેના આધારે તપાસ કરવા માટે ગયા હતા. અહીંથી જાણ કરીને ટીમ રવાના થઈ હતી, તેમ છતાંય તેમને ક્વૉરન્ટીન કરી રોકી દેવામાં આવ્યા, તે યોગ્ય નથી. ત્યાં તો સહયોગ કરવો જોઈતો હતો. આ સામાન્ય ધારણા છે કે સુશાતની સાથે અન્યાય થયો, તેથી સમગ્ર દેશને લાગે છે કે મામલાની તપાસ થવી જોઈએ.
SSR Death Case: બિહાર સરકારે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે CBI તપાસની કરી ભલામણ
બિહારના મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રમાં બિહાર પોલીસના અધિકારી સાથે દુવ્યવહાર અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેઓએ કહ્યું કે, આ મામલામાં બિહાર પોલીસની ટીમ પોતાની રીતે જે પણ શક્ય છે, તમામ તકેદારીની સાથે કામ કરી રહી છે. અહીંના અધિકારી સતત વાત કરી રહ્યા હતા, પરંતુ ત્યાંના લોકો વાત જ નથી કરતા. આ વાત મને ડીજીપીએ જણાવી. આ જે સ્થિતિ છે, તે યોગ્ય નથી.મામલાને લઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે વાતચીતના સવાલ પર નીતીશ કુમારે જણાવ્યું કે, મુખ્યમંત્રીના સ્તર પર આ મામલામાં વાત થઈ જ ન શકે. આ રાજકારણ નથી, પરંતુ કાયદાકિય મામલો છે. આ પોલીસની ફરજ છે, જે બિહાર પોલીસ નિભાવી રહી હતી. ડીજીપી ત્યાં ફોન કરે અને ત્યાં કોઈ ફોન ન ઉપાડે, આ તો આશ્ચર્યજનક બાબત છે. સારી વાત એ છે કે હવે આ મામલો સીબીઆઈની પાસે જતો રહેશે.
સુશાંત મામલાને લઈ બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ મામલામાં બિહાર સરકારના વલણને લઈ પૂછવામાં આવેલા સવાલ પર નીતીશ કુમારે કહ્યું કે, કાલે સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર પોતાના તરફથી દરેક વાત રજૂ કરશે. આ સંબંધમાં જે જાણકારી માંગવામાં આવી છે, તે બિહાર સરકાર તરફથી કોર્ટમાં રજૂ કરાશે.