દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સાડા અઢાર લાખ ને, વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 52,050 થી વધુ નવા કેસો નોંધાયા છે. આ સાથે, કોરોના દર્દીઓની સંખ્યા વધીને 18,55,746 થઈ ગઈ છે. તે જ સમયે, કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 803 લોકોનાં મોત થયાં. આ રીતે કોરોનાથી મૃત્યુઆંક 38,938 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં 5,86,298 સક્રિય દર્દીઓ છે. તે જ સમયે, એક રાહત સમાચાર છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,307 દર્દીઓ સ્વસ્થ બન્યા છે. આ અત્યાર સુધીમાં સ્વસ્થ થયલા દર્દીઓની સૌથી મોટી સંખ્યા છે. ઉપરાંત, કોરોનાથી અત્યાર સુધીમાં 12,30,510 દર્દીઓ સ્વસ્થ બન્યા છે. દેશનો પુન: સ્વસ્થ થવાનો દર વધીને 66.30 ટકા થયો છે.