ભગવાન રામ તેમના પણ પૂર્વજ હોવાની વાત સાથે વારાણસીમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા શરૂ કર્યો રામચરિતમાનસનો પાઠ

રામ જન્મભૂમિ પૂજનને લઈને મુસ્લિમ સમુદાયનો ઉત્સાહ પણ ચરમસીમા પર છે. અયોધ્યા ખાતે ચાલતી પૂજા સાથે વારાણસીમાં પણ મુસ્લિમ મહિલાઓ એકત્ર થઈ અને રામચકિતમાનસનો પાઠ કરી રહી છે. આ પાઠ આવતી કાલ એટલે કે ભૂમિપૂજન સુધી ચાલશે. આ મુસ્લિમ મહિલાઓનું માને છે કે રામ ભગવાન તેમના પણ પૂર્વજ છે.

રામચરિતમાનસનો પાઠ કરતી મહિલાઓ વડાપ્રધાન મોદીના સંસદીય વિસ્તાર વારાણસીના છે. વારાણસીના લમહી ગામમાં કાર્યરત મુસ્લિમ મહિલા ફાઉંડેશનની તરફથી અહીં 3 દિવસથી રામચરિતમાનસનો પાઠ કરવામાં આવી રહ્યો છે. જેમાં મુસ્લિમ મહિલાઓ સાથે હિંદુ મહિલાઓ પણ જોડાઈ છે.