થાનનાં વગડીયા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત : એકનું મૃત્યુ


સુરેન્દ્રનગર જિલ્લામાં રોજ બરોજ નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે ત્યારે ગઇકાલે પણ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ના રાણીપાટ ગામના રહેવાસી નરસિંહભાઈ પોતાની ગાડી બ્રેઝા લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે થાનના વગડીયા ગામ પાસે કાર ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતમાં ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી અને એક શખ્સનું ઘટના સ્થળે મોત થયું હતું. મૂળી થાન રોડ પર રાણીપાટ અને ખાખરાથળનાં શખ્સો કાર લઇ જઇ રહ્યા હતા ત્યારે સામેથી આવતા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યકિતનું મોત નિપજ્યુ હતુ જયારે ત્રણ ને ઇજાઓ પહોચતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.
મૂળીનાં રાણીપાટ ગામનાં નરસિંગભાઇ કુંવરાભાઇ ડાભી જહાભાઇ સવજીભાઇ બારૈયા અનરસિંહભાઇ ધીરૂભાઇ અડાણીયા તેમજ ખાખરાથળનાં જયંતિભાઇ લાધાભાઇ ભડાણીયા સાંજનાં સમયે કાર લઇ થાન તરફ જઇ રહ્યા હતા ત્યારે ખાખરાળાનાં બોર્ડ પાસે પહોંચતા સામેથી આવતા ટ્રક સાથે કાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.. જેમાં ખાખરાથળનાં જયંતિભાઇ ભડાણીયાનું સ્થળ પરજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ જયારે અન્ય ત્રણ ને ઇજાઓ પહોંચતા થાન 108નાં ઈ એમ ટી દિનેશભાઇ પંડયા અને પાયલોટ ભગીરથસિંહ ઝાલા દ્રારા પ્રાથમિક સારવાર આપી થાન લઇ જવાય હતા જયારે અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાતા પોલીસ સ્ટાફનાં હર્ષરાજસિંહ ઝાલા અશોકસિંહ સહિતનાંએ ટ્રાફિક હળવો કર્યો હતો.