નખત્રાણાના પાલરધુના ધોધમાં 2 દિવસ પૂર્વે પડેલ ભુજના યુવાનની લાશ આજે વહેલી સવારે પાણીમાં તરતી મળી આવી, સ્થાનિક ગોતાખોરો એ પાણી માથી બહાર કાઢી

નખત્રાણાના પાલરધુના ધોધમાંથી 2 દિવસ પૂર્વે કરણ ગૌતમભાઈ જોષી કરીને એક યુવાને તે ધોધ માં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તે વ્યક્તિની લાશ આજે વહેલી સવારે પાણીમાં તરતી મળી આવી હતી, ત્યારે તે સ્થળના સ્થાનિક ગોતાખોરો એ તેને બહાર કાઢી હતી. આ દ્રશ્ય જોવા ત્યાંના સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જેને ખસેડવા ઘણી મહેનત લાગી હતી.