નખત્રાણા તાલુકાના બીબ્બર ગામના પુજારીના બંધ મકાનના તસ્કરોએ તાળા તોળી કબાટમાંથી 4 હજાર રૂપિયાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે નિરોણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઇ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમજ ભુજના દયારામભાઇ જખુભાઇ ભાનુશાલીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ શનિવારે રાત્રે આઠ વાગ્યાથી સોમવારની સવાર દરમિયાન કોઇ પણ સમયે બન્યો હતો. નિરોણા ગામની સીમમાં આવેલા ત્રીપુરા મહાદેવના મંદિરની બાઉન્ડ્રી અંગર આવેલા પુજારીના મકાનનું તાળું તોડી અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરીને કબાટમાંથી પરચુરણ સહિતના રૂપિયા ચાર હજારની ચોરી કરી ગયા હતા. પોલીસે બનાવની કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.