અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા કચ્છ યુનિવર્સિટીના કુલપતિને છાત્રોના વિવિધ પ્રશ્નોને લઇને યુનિ.ના વાઇસ ચાન્સેલરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. યુનિ. દ્વારા એક્સટર્નલ કોર્ષ બંધ થતા બીએ, બીકોમ જેવા અભ્યાસક્રમોમાં ગ્રાન્ટ ઇન એડ શીટો વધારવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.કેટલાક પ્રશ્નોને લઇને એબીવીપી દ્વારા રજૂઆત કરાઇ હતી કે, તાજેતરમાં 100 શીટ સેલ્ફફાઇનાન્સ એમ. કોમ.માં વધારવામાં આવી એ યુનિ. દ્વારા વિદ્યાર્થી પાસે લુંટ ચલાવાઇ રહી છે જેથી સેલ્ફ ફાઇનાન્સના બદલે ગ્રાન્ટ ઇન એડ જાહેર કરવામાં આવે. તો પરીણામ ન આવે ત્યાં સુધી લેટ ફી વગર ફોર્મ સ્વિકારવામાં આવે. લોકડાઉન બાદ કફોડી પરીસ્થિતિમાં છાત્રો પાસેથી ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે.સેમેસ્ટર 4ના જુની પેટર્નના છાત્રોનું પરીણામ હાલ જાહેર થયું છે જે દિવસે એલએલબીની એડમીશનની છેલ્લી તારીખ હતી, જે છાત્રોના સેમેસ્ટર 1થી6 ક્લીયર હોઇ અને માત્ર સેમ. 4મા એટીકેટી હોઇ તેવા છાત્રો માટે તારીખની મુદ્દતમાં વધારો કરવામાં આવે. અનેક છાત્રોના પરીણામ યુનિ.માંથી મળતા નથી. કોલેજ અને યુનિ. છાત્રોને ગેરમાર્ગે દોરે છે જેથી છાત્રોને વારંવાર ધક્કા ખાવાનો વારો આવે છે જેનો યોગ્ય રસ્તો કાઢી મુશ્કેલી હલ કરવામાં આવે તેવી માગ દહોરાવી હતી. જીયોલોજી, એનવાર્યમેન્ટ અને એલએલબીની પરીક્ષાની તારીખો આપવામાં આવે અને પરીક્ષાની પેટર્ન જાહેર કરવામાં આવે તેવુ ઉમેરી આઠ દિવસમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારાઇ હતી.