સચિવાલયના તમામ કર્મચારીઓ અને અધિકારીઓના એન્ટીજન ટેસ્ટ આવતીકાલથી શરૂ

સચિવાલયમાં ફરજ બજાવતા રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના તમામ સરકારી વિભાગોના અધિકારીઓ અને તમામ કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરવાના આદેશ કર્યા છે.અત્રે નોંધનીય છે કે આ વિભાગો પૈકી સામાન્ય વહીવટ વિભાગ ,ગૃહ વિભાગ, સરદાર સરોવર નિગમ, મહેસુલ વિભાગ, અને જળસંપતિ વિભાગ માં કોવિડ 19 ના રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે બે- બે દિવસ ફાળવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વધતા જતા સંક્રમિત કોરોનાના કેસ ને ધ્યાને લઇને રાજ્ય સરકારે અલગ અલગ વહીવટી વિભાગોમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થાય નહીં તેની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે જેના પગલે તમામ વિભાગના અધિકારીઓથી માંડીને તમામ કર્મચારીઓના રેપીટ ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ કામગીરી માટે નવા સચિવાલયના પ્રત્યેક બ્લોક નીચે આરોગ્યની બે ટીમો દ્વારા વિભાગ મુજબ તબકકાવાર સવારે 10:30 થી સાંજે 5 કલાક સુધી કોવિડ 19 ના રેપીડ ટેસ્ટ કરવામાં આવશે અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકારના સામાન્ય અને ટેકનિકલ વિભાગ અને સહકાર વિભાગના ટેસ્ટ દિવસ દરમિયાન કરવામાં આવ્યા હતા. જ્યારે આવતીકાલે સામાન્ય વહીવટ વિભાગ ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવશે જ્યારે 4 અને 5 તારીખે ગૃહ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ નો ટેસ્ટ થશે ત્યારબાદ 7 અને 8 મી તારીખે નાણાં વિભાગ અને કાયદા વિભાગ , 9 અને10 મી એ કૃષિ અને ઉદ્યોગ ખાણ ખનીજ વિભાગ , 10 અને 11મીએ સરદાર સરોવર નર્મદા નિગમ અને શિક્ષણ વિભાગ, 14મી એ પંચાયત વિભાગ 15 અને 16મી એ મહેસુલ વિભાગ, 17 અને 18 મી એ નર્મદા જળસંપત્તિ વિભાગ અને 19મી તારીખે માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ના ટેસ્ટ કરવામાં આવશે.