દામનગર ના મૂળિયાપાટ ગરીબ શ્રમિક પરિવાર નું મકાન અતિવૃષ્ટિ થી ધરાશય સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન પ્રવીણભાઈ પરમારે સ્થળ મુલાકાત બાદ શક્ય તે મદદ ની ખાત્રી આપી

દામનગર ના મૂળિયાપાટ ગામે અતિવૃષ્ટિ કાચું મકાન પડ્યું સતત એકમાસ થી વર્ષા બાદ વરાપ નીકળતા જીર્ણ કાચા મકાનો માં તિરાડો પડવા અને પડી જવા ની ઘટના મૂળિયાપાટ ખાતે બની હતી ગરીબ શ્રમિક હિંમતભાઈ નાનજીભાઈ મારૂ નું કાચ મકાન ધરાશય થયું સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી આ ઘટના ની જાણ થતાં સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન પ્રવીણભાઈ પરમાર  સહિત સબંધ કરતા તંત્ર એ સ્થળ મુલાકાત કરી પીડિત પરિવાર ને શક્ય તે મદદ ની ખાત્રી આપી અને સરકાર શ્રી ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ માં કેશડોલ્સ ની સહાય અને પ્રધાનમંત્રી આવાસ નો લાભ આવા પીડિત પરિવારો ને લાભ મળે તે માટે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિત ની કચેરી ઓ માં લેખિત રજુઆત કરી હતી