કોરોનાના કેસમાં 2 દિવસે જોવા મળ્યો ઘટાડો


ભુજ, તા. 3 સપટેમ્બર
એકતરફ રાજ્યમાં આજે કોરોનાના ઘણા કેસ નોંધાયા છે. બીજી તરફ કચ્છમાં છેલ્લા ત્રણેક દિવસથી કોરોનાના કેસમાં થઇ રહેલા ઉત્તરોત્તર ઘટાડાથી થોડી રાહત થઇ છે. જિલ્લામાં કોરોનાના વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે અને સાથે કુલ કેસનો આંક હવે 1362 પર પહોંચ્યો છે. સામી તરફ 26 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતાં, સાજા થયેલા દર્દીઓનો કુલ આંક 1061 પર પહોંચ્યો છે. સોમ અને મંગળવારે કોરોના કેસનો આંક 20 પર સ્થિર રહ્યા બાદ ગઇકાલે આ આંક ઘટીને 17 પર પહોંચ્યો હતો. આજે તેમાં વધુ કેસના ઘટાડા સાથે આંક 14 પર અટકી ગયો છે. ઓગસ્ટ માસમાં દરરોજ 20થી લઇ 38 સુધીના કેસ નોંધાયા બાદ સપ્ટેમ્બરના આરંભે કોરોનાની ગતિ થોડી ધીમી પડી હોય તેવું આંકડા પરથી દેખાઈ રહ્યું છે. આજે નોંધાયેલા 14 કેસમાં સૌથી વધુ 7 કેસ ગાંધીધામ વિસ્તારમાં નોંધાયા છે. શહેરી વિસ્તારમાં 10 તો ગ્રામ્ય વિસ્તારમાં 4 કેસ નોંધાયા છે. દરમ્યાન કોરોનાના કારણે ભુજમાં નિવૃત્ત શિક્ષકનું મોત નિપજ્યું છે.જો કે તેઓએ જારી કરેલી સત્તાવાર યાદીમાં આ મોતનો કોઇ ઉલ્લેખ કરાયો નથી અને મોતનો આંકડો 45 પર જ અટકેલો રહ્યો હતો. નલિયામાં પણ નોંધાયેલા કેસ તંત્રના ચોપડે ચડયો નથી.
ખાસ સૂત્રો મારફતે