ભીમાસરમાં ત્યજી દેવયેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળતા ચકચાર

અંજારના ભીમસર સહારા ગ્રામના મેદાનમાંથી તાજુ જન્મેલુ મૃત બાળક મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી.કોઈ અજાણી સ્ત્રી મૃત નવજાત શિશુ ફેંકીને નાસી ગઈ હોવાનો બનાવ અંજારના પોલીસ ચોપડે નોંધાતા પોલીસે વધુ તપાસ આદરી છે. ભીમાસર ગામમાં રહેતા અનંત અરજણ હુંબલે અંજાર પોલીસમથકે અજાણી સ્ત્રી વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર મૃત શિશુનો નિકાલ કરવાના ઇરાદે અજાણી મહિલા નવજાત શિશુને ફેંકીને નાસી ગઈ હતી.બનાવ સંદર્ભે અંજાર પોલીસે તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *