બોટાદ જિલ્લાના તંત્ર દ્વારા એક પછાત વ્યક્તિ સાથે ઘોર અન્યાય

એક પછાત વ્યક્તિ ઘર બે ઘર તેઓ સરકાર પાસે ન્યાય ની ભીખ માંગે છે. પ્રધાનમંત્રી સાહેબને લેખિતમાં રજૂઆત.

ગામ રાણપુર તાલુકો રાણપુર જીલ્લો બોટાદ ના સર્વે નંબર. 435/5અ છે. જેની બાજુમાં ઉપરોક્ત સર્વે નંબરની પડતર જમીન છેલ્લા ૪૦ થી ૪૫ વર્ષથી જમીન વાવેતર લાયક અમોએ બનાવી તે જમીન ખેતી ને લાયક બનાવવા માં અમારા ઘરના સભ્યોની પરસેવાની કમાણી લાખોનો ખર્ચ કરીને અમોએ ખેડાણ લાયક જમીન બનાવેલ છે.

 બોટાદ જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ક્રોધીષ્ટ માં આવીને ઊંચા અવાજે ધમકાવવા લાગ્યા અને જમીનનો કબજો તાત્કાલિક ખાલી કરાયેલ અને અન્ય બીજા વ્યક્તિને સોંપેલ છે. મને તંત્ર દ્વારા સરકારી પડતર જમીનનો કબજો હટાવવા બાબત ની અગાઉ કોઈ નોટિસ દ્વારા જાણ કરેલ નથી.

બોટાદ જિલ્લાના તંત્ર દ્વારા સરકારી પડતર ખેતીની જમીન પ્લોટ ની જમીન પછાત વર્ગના લોકોને ફાળવવામાં આવે છે. અગાઉ પણ સરકારશ્રીએ ફાળવેલ છે. આજ દિન સુધી ફાળવે છે તો મારી સાથે આ તંત્ર દ્વારા ઘોર અન્યાય શા માટે બોટાદ જિલ્લાના તંત્રનું કહેવું છે કે હું ઓપન કેટેગરીમાં આવું છું. તે માટે મને લાભ ન મળે કે અગાઉ મેં લાભ મેળવેલ છે તે માટે મને લાભ ના  મળે કે પછી મારે તંત્રના હોદ્દેદારો સાથે સારા રિલેશન નથી તે માટે મને લાભ ન મળે કે હું રાજકારણના મોટા માથા ને ઓળખતો નથી તેમાં માટે મને તાત્કાલિક કબજો ખાલી કરાવવામાં આવ્યો અને બીજા વ્યક્તિને સોંપવામાં આવ્યો

 સરકાર શ્રી ને બે હાથ જોડીને જણાવું છું કે હું ખેત મજુરી કરીને મારું અને મારા પરિવારનું ભરણપોષણ કરું છું મારા બે પુત્ર જન્મ થી મૂંગા અને બહેરા છે. અને આ બાબતમાં ઝીણવટ ભરી તપાસ કરી જે તંત્ર દ્વારા જે કબજો ખાલી કરાવેલ છે. તે મને સોંપવો અને મને ન્યાય અપાવરાવો તેવી હું સરકાર પાસે ન્યાય ની ભીખ માંગું છું

રિપોર્ટ. ઉમેશ ગોરાહવા (બોટાદ, બરવાળા)