હિન્દુ યુવા સંગઠન ભુજ દ્વારા આયોજિત, હિન્દુનવરાત્રી મહોત્સવ ૨૦૨૦

કચ્છની ધણીયાણી એવી માં આશાપુરા અને માં પાવાગઢવાળીના મંદિરો કોરોનાના કારણે બંધ રાખવામા આવ્યા છે. ભક્તો બારેથી માતાજીના આશીર્વાદ લઈને પાછા ઘરે ફરી જતાં હોય છે.ત્યારે ભુજમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા નવરાત્રિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

સમસ્ત બ્રહ્માંડનો સૌથી મહાન તેમજ સૌથી પ્રાચીન ધર્મ મહોત્સવ એટલે કે નવરાત્રિ,આધ્યાત્મિક શક્તિની ઉપાસનાનો વિશેષ તહેવારમાં દુર્ગાના સ્વરૂપે કન્યાઓની આરતી અને પ્રશાદ દ્વારા પૂજવામાં આવી હતી. આ અનોખી પહેલમાં હિન્દુ યુવા સંગઠનમાં ઘણા ભક્તો જોડાયા હતા….
-મળતી માહિતી અનુસાર