આદિપુરમાં પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ધો-૧૨ના વિધ્યાર્થીએ ગળે ફાસો ખાઈને પોતાનો જિંદગી ટુકાવી

આદિપુરના વોર્ડ નં-૫ એમાં પરીક્ષામાં નિષ્ફળતાના ડરથી ધો.-૧૨ ના વિધ્યાર્થી ગળે       ફાસો ખાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યુ હતું કે ,શહેરના વોર્ડ નં-૫  એ મકાન નં-૧૦૩ માં રહેતા જોયેલ મેથ્યુમોન ક્રિશ્વન (ઉ.વ.૧૮) એ પરીક્ષામાં નાપાસ થવાનો ડરથી પોતાના ઘરે ગળે ફાસો ખાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ યુવક પહેલા પણ પરીક્ષામાં નાપાસ થયો હતો. બીજી વખત ધો. ૧૨ ની પરીક્ષાની તૈયારીમાં હતો. પણ નાપાસ થવાના ડરથી તેમણે આ પગલું ભરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ભણતરનો ભાર વધુ એક માટે વિધ્યાર્થી માટે ચિંતાનો વિષય થઈ  ગયો છે. જેથી  વિધ્યાર્થીઓને ,સાચું માર્ગ દર્શન અને સલાહ મળી રહે તે ખૂબ જરૂરી બન્યું છે

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *