નખત્રાણામાં આખલાને તીક્ષ્ણ હથિયાર વડે મારીને ઘાયલ કરાયો હતો .
મૂંગા પશુઓ પર અવાર-નવાર જ્વલશીલ પ્રવાહી છાંટવાનો કિસ્સા બનતા હોય છે એટલું જ નહીં તીક્ષ્ણ હથિયાર વડે ઘાયલ કરવાના બનાવો પણ બની ચૂક્યા છે. ત્યારે નખત્રાણા ખાતે આવેલી વિક્ષ્વકર્મા બજારમાં એક આખલાને કોઈ અજાણ્યા શખ્સએ જનૂન પૂર્વક પૂર્વક કુહાડી મારીને ઘાયલ કરતાં તેને જાગૃત નાગરિકઓ જોતાં તુરંત પશુ ચિકિત્સકને બોલાવ્યા હતા અને આ કુહાડીને આખલાની પીઠ પરથી બહાર કાઢીને સારવાર કરી હતી. આ બનાવ અંગે નખત્રાણા પોલીસને જાણ કરવામાં આવી છે .આવા કિસ્સાઓ ના બને અને આવા આરોપીને કડડ સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે .આજની આ ઘટનાએ જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાવી દીધી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.