સોગંદવિધિ કરીને આજરોજ બરવાળા આંબેડકર નગર 2 માં ૫૧ નવયુવાનને સંગઠનમાં જોડીને આગળની રણનીતિ ઘડવામાં આવી.


રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ ટીમ દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે અને છઠ્ઠી ડીસેમ્બર બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે ગઢડા તાલુકાના આઠ પરિવારોની આશરે ૯૦ વીઘા જમીન પર અસામાજિક તત્વોનો કબજો હટાવી ને પ્રત્યક્ષ કબજો લેવા જવાના છીએ .તે બાબતે ભારતના સંવિધાનની સોગંદવિધિ કરીને આજરોજ બરવાળા આંબેડકર નગર 2 માં ૫૧ નવયુવાનને સંગઠનમાં જોડીને આગળની રણનીતિ ઘડવામાં આવી જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના કિર્તીભાઈ ચાવડા સંગઠન મંત્રી નાથાભાઈ મકવાણા,મહામંત્રી ડુંગરભાઇ સોલંકી, પ્રવક્તા યોગેશભાઈ વાઘેલા ,બોટાદ તાલુકા પ્રમુખ અરવિંદભાઈ પરમાર ,પ્રવીણભાઈ ગામભા, મેઘજીભાઈ સોલંકી સુરેશભાઈ ચાવડા અને અરવિંદભાઈ સોલંકી તથા બરવાળા ના સ્થાનિક આગેવાનોએ હાજરી આપી.
-મળતી માહિતી