ભુજ તાલુકાના માનકુવા ગામ માં આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક નું મોત નિપજ્યું હતું.
ભુજ તાલુકાના માનકુવા ગામ માં આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ માં રહેતા પ્રભુ ભાઈ ભાનુશાલી ( રહે.ભુજ )માનકુવા ખાતે એક ક્રિકેટ મેચ રમવા ગયેલ અને ત્યાંથી પાછા આવતા વખતે પ્રભુ ભાઈ ભાનુશાલી અને અર્જુન મોરારજી ભાનુશાલી (રહે.ઝુરા) બાઈક પર ભુજ પાછા આવી રહ્યા હતા.ત્યારે જૂની બગાવતને ધ્યાને રાખીને આરોપીઓએ તેમને ગાળો આપી હતી.અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ દરમ્યાન આરોપીઓ જે બ્લેક કલરની સ્કોર્પિયો કારમાં સવાર હતા.તેમણે પ્રભુ અને અર્જુનની બાઈક ને ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો.ત્યારબાદ આરોપીઓએ રોંગ સાઈડ માંથી સ્કોર્પિયો કાર ચલાવી પ્રભુ અને અર્જુનની બાઈક ને ટક્કર આપીને અકસ્માત સર્જ્યો હતો.જેના કારણે બાઈક અને સ્કોર્પિયો ની ટક્કર થવાથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં અર્જુન ભાનુશાલીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અને પ્રભુ ભાનુશાલી ટક્કરથી ફંગોળાઈને કેનાલમાં પડતા તેને ઈજાઓ પહોંચી હતી.આ એક અકસ્માત નથી.પરંતુ એક પ્રિ- પ્લાનિંગ મર્ડર કેસ છે.પરંતુ આ કેસમાં હજી એક નવો વળાંક આવ્યો છે.આરોપીઓ ની દુશ્મની પ્રભુ ભાનુશાલી સાથે હતી અને જેથી આરોપીઓએ તેને મારવા માટે પ્લાનિંગ કર્યું હતું.પરંતુ આ કેસમાં મોત અર્જુન ભાનુશાલી નું થયું છે.આ મર્ડર કેસમાં કુલ છ આરોપીઓ હતા.જેમાં (૧) કાનજી ભીમજી (૨) ધીરજ ભીમજી (૩) જગદીશ – નરસિંહ (૪) દિનેશ દેવજી અને બાકીના બે આરોપી અજાણ્યા ઈસમો હતા.જેની ઓળખ થઈ શકી નથી.
અગાઉ પ્રભુ ભાનુશાલી ના ભાભીએ આપઘાત કર્યો હતો.જે કેસમાં તેના ભાભીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર પ્રભુ ભાનુશાલી હોવાનું બહારે આવ્યું હતું.જેથી તેને પાલારા જેલમાં સજા થઈ હતી.ત્યારે આરોપીઓએ (તેના ભાભીના પક્ષ વાળા ) પાલારા જેલમાં જઈને પ્રભુને જેલની બહાર આવતા ની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેના અનુસંધાને આ ઘટના ઘડવામાં આવી હતી.પરંતુ મોત પ્રભુ ભાનુશાલીનું ન થતા અન્ય વ્યક્તિનું થયું હતું. આ ઘટનામાં પોલીસે ફરિયાદ લખીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.