દયાપર-સુભાષપર વચ્ચે અકસ્માત થતાં એકનું મોત નીપજયું.

લખપત તાલુકાનાં દયાપર-સુભાષપર વચ્ચે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ પાનધ્રોના રહેવાસી અશ્વિનસિહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.19 ) બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે ટ્રક ચલાવનારે ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાતા ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે દયાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાતા ફરજ ના તબીબે મૃત જાહેર કરાયા હતા. આ બનાવમાં ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવાની તપાસ  હાથ ધરાઇ છે. આ બનાવ થી શોક છવાઈ જવા પામ્યો છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *