દયાપર-સુભાષપર વચ્ચે અકસ્માત થતાં એકનું મોત નીપજયું હતું.

લખપત તાલુકાનાં દયાપર-સુભાષપર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ પાન્દ્રો ના રહેવાસી અશ્વિનસિહ ધર્મેન્દ્ર સિહ ઝાલા (ઉ.વ. ૧૯ )બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે ટ્રક ચલાવનારે ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાતાં  ગંભીર પ્રકારની ઇજાઓ પહોચતા સારવાર અર્થે દયાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરાયા હતા. આ બનાવ માં ટ્રક ચલાવનાર સામે ગુનો નોધી તપાસ હાથ ધરાઇ છે. આ બનાવથી શોક છવાઈ જવા પામ્યો છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *