તા.૨૪ /૩ ના રોજ સાંજ ભુજના દરબારગઢ સ્થિત પ્રાગમહલ પેલેસ ખાતે એમ.એમ.કચ્છ બેનિર્વાલન્ટ ટ્રસ્ટ દ્વારા અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

તા.૨૪.૩.૧૮ શનિવારના સાંજે ૫:૩૦ વાગે ભુજના દરબારગઢ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક સ્થળ એવા પ્રાગમહેલ પેલેસમાં એમ.એમ.કચ્છ બેનિવોલન્ટ ટ્રસ્ટ દ્વારા અર્પણ સમારોહનું આયોજન કરેલ હતું.કચ્છ માંડવીના શ્રી હરીશભાઈ એસ.જોષી દ્વારા છેલ્લા ૬૫ વર્ષોથી એકત્ર કરેલ અમુલ્ય સિક્કાઓ અને પોસ્ટલ સ્ટેમ્પનો સંગ્રહ પ્રાગમહેલ મ્યુઝિયમ માટે મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાને અર્પણ કરેલ જેથી આ અર્પણ સમારોહ સમારોહ  સમારોહ-અધ્યક્ષશ્રી નામદાર મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજા દ્વારા શ્રી હરીશભાઈનો આભાર વ્યક્ત કરવા યોજવામાં આવ્યું હતું. શ્રી હરીશભાઈનું કહેવું છે કે તેમના ૬૫ વર્ષોના અઢળક સંગ્રહમાંથી કેટલું ખરાબ થઈ ગયું તો કેટલૂક ઉધઈ ખાઈ ગયું એટલે કે વ્યર્થ થયું તેથી રહેલું આ તેમનું સંગ્રહ તેના યોગ્ય સ્થાને હોય તો આજની યુવા પેઢી તેનો આનંદ લઈ શકે. આ પ્રાગમહલ પેલેસ મ્યુઝિયમ એ એક ઐતિહાસિક સ્થળ ગણાતું સ્થળ છે અહીં તેમનું આ સંગ્રહ પ્રદર્શન સ્વરૂપે મુક્તા તેઓ ખુબજ ખુશીની લાગણી વ્યક્ત કરે છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *