કચ્છમાં એક તરફ પાણીની તંગી સર્જાઈ રહી છે તો બીજી તરફ ભુજ શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેની પાણીની મુખ્ય લાઇન તૂટી જતાં લાખો લીટર પાણી વડેફાયું.
ભુજ શહેરમાં આવેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે મુખ્ય લાઇનમાંથી આવતા પાણીની લાઇન તૂટી ગયેલ જોવા મળતા તે એક ગમગીનીની ઘટના જણાય છે. કારણ કે પાણી એ સૌથી અમુલ્ય સ્ત્રોત છે. આજના ઉનાળાના આ ધમધોકાર તાપમાં પાણી ઓ લોકોના હદયની ઠંડક છે. જ્યારે આવી પરિસ્થિતિમાં ભુજ શહેરમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આવેલ પાણીની લાઇન તૂટી જતાં લાખો લીટર પાણી વડેફાયું હતું. જે ભવિષ્યમાં પાણીની તંગીનું પરિણામ આવવાની શક્યતાઓ જણાયે છે. આ અંગે નગરપાલિકાના વિપક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાનું કહેવું બને છે. કે આ ઘટના એ નગરપાલિકાની બેદરકારી સૂચવે છે. કોઈ પણ વ્યક્તિ દ્વારા પોતાના અંગત કામ માટે પણ ગમે એ જગ્યાએ ખોદવામાં આવતા ખાડા એ નગરપાલિકાની મંજૂરી વિનાના જોવા મળે છે તો આ બાબતે એ નગરપાલિકા તંત્રની નબળી કામગીરીને જવાબદાર ઠહેરાવે છે. આ સમગ્ર પ્રકારનું મૂળ તેઓના આધારે ભ્રષ્ટાચાર છે. વિપક્ષના નેતાશ્રીનું કહેવું છે કે જો નગરપાલિકા તંત્ર આ બાબતે સજાગ બની રહેશે તો આમાંથી ભ્રષ્ટાચાર દૂર થઈ જશે જેથી ભ્રષ્ટાચારીપણાનો દાખલો જ નગરપાલિકા તંત્રને કોઈપણ જગ્યાએ થતાં ખોટા કામોના અટકાવ કરતાં રોકે છે. “જળને આપણે બચાવશું તો જળ આપણને બચાવશે” આ સૂત્રો અનુસાર લોકોની પાણીની સમસ્યાનું જલ્દી જ નિવારણ આવે તે આશકીય છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.