પંજાબ વિસ્તારમાં એક પત્રકારની ગોળી મારીને કરાઇ હત્યા.
પંજાબ વિસ્તારના સાંબાડી શહેરમાં એક પત્રકારને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પત્રકાર જીશાન અશરફ બટ્ટને એવા સમય દરમ્યાન ગોળી મરવામાં આવી હતી જ્યારે તે પોલીસને ફોન કરી રહ્યો હતો. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરી રહી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પત્રકાર જીશાન અશરફ બટ્ટ સ્થાનિક ન્યૂઝ પેપર નવા-એ-વક્તામાં કામ કરતો હતો. આ પત્રકારે પોલીસને ફોન કરી જણાવ્યુ કે સંઘ પરિષદના અધ્યક્ષ ઇમરાન તેને ગોળી મારવા માટે આવી રહ્યો છે. તે જ દરમ્યાન કેટલાક અજાણ્યા શખ્સોની ટુકળી આવી ને તેને ગોળી મારીને હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં પાકિસ્તાનમાં છેલ્લા કેટલાય વર્ષથી પત્રકારોની હાલત બહુજ ખરાબ છે. દેશમાં થતાં અત્યાચાર તથા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી રહી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.