સુરતમાં માતા-પુત્રએ લગાવી 12માં માળેથી મોતની છલાંગ. માતાએ પહેલા પુત્રને ફેંક્યો પછી પોતે પણ મારી છલાંગ.
સુરતમાં પોતાના દીકરાને 12માં માળથી ફેંક્યા પછી માતાએ પણ કૂદીને કર્યો આપઘાત, આ બનાવએ પૂરા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો છે. પાલ-અડાજણ વિસ્તારના સુતીયા યુનિવર્સલ એપાર્ટમેન્ટની માતાએ પોતાના પાંચ વર્ષના દીકરા સાથે મોતની છલાંગ મારતા સંકાઓની લહેર શરૂ થઈ ગઈ છે. આ બનાવમાં માતા-પુત્રના આપઘાત પાછળનું કારણ જાણવા નથી મળ્યું. અડાજણ વિસ્તારમાં આવેલી સુતીયા યુનિવર્સલ એપાર્ટમેન્ટની ચંચળબેન પરિવાર સાથે ભાડે આ સુતીયા યુનિવર્સલ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. આજે ચંચળબેન પાંચ વર્ષના તેમના પુત્ર અલ્કેશને લઈને 12માં માળે પહોંચી હતી. જ્યાં આપઘાત કરતાં પહેલા મહિલાએ તેના પુત્રને નીચે ફેંકયો હતો. સોસાયટીમાં આ ઘટનાના પગલે લોકોની ભીડ ઉમટી પડી હતી. જોકે, ઘટના સ્થળે જ માતા-પુત્રનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અને આત્મહત્યાના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.