સગીરના અપહરણ અને બળાત્કાર ના ગુનામાં નાસેલા આરોપીને ધાનપુર પોલીસે ઝડપી પાડી

   છેલ્લા ચાર વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા સગીરાના અપહરણ અને બળાત્કાર ના ગુનાના આરોપી ધાનપુર તાલુકાના લીમડી મેધરી ગામ ના અરવિંદ નાથુભાઈ પરમારને તેમના માદરે વતન ખાતે રોડ પરથી જરૂરી વોચ દરમિયાન ધાનપુર પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર નાયબ પોલીસ મહાનિરીક્ષક એમએસ ભરાડા તેમજ દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈ સર એ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથમાં રીતે અસરકારક કોમ્બિંગ હાથ ધરવા કોમ્બિંગ હાથ ધરવા આપેલ માર્ગદર્શન હેઠળ અને દેવગઢ બારીયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બેગડીયા ની સૂચનાથી ધાનપુર પી.એસ.આઇ બી એમ પટેલ એ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ નું આયોજન કર્યું હતું. તે દરમિયાન પેટ્રોલિંગમાં ઉપસ્થિત ધાનપુર એ.એસ.આઇ રોહિતભાઈ મંગુભાઈ ને મળેલ ખાનગી બાતમીના આધારે વર્ષ 2016 ના સગીરાના અપહરણ તેમજ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ચાર વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા ધાનપુર તાલુકાના લીમડી મહેન્દ્રી ગામના અરવિંદભાઈ નાથુભાઈ પરમાર ને તેના ગામના રોડ પરથી વોચ દરમિયાન ઝડપી પાડી તેને ધોરણ સાત હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ