૩૨ વિધવા મહિલાઓને સિવણ મશીન અપણ કરી જન્માપ્ટમી પવની અનોખી ઉજવણી કરાઇ


જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માગંદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ૩૨ વિધવા મહિલાઓને સિવણ મશીન તથા દરેકને રૂપિયા બે હજારની રાશનકીટ એક સદ્ગુહસ્થ દાતાનાં સહયોગથી અર્પણ કરી જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચનાં મંત્રી તથા બેટી સુરક્ષાદળનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મુક્તા ગૌરી ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગરનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આશિકાબેન ભટ્ટે જયારે અતિથિવિશેષપદ ડો. પ્રતિક્ષાબેન પવાર, હેતલબેન સિંઘ, અનીતાબેન ઠાકુર, કલ્પનાબેન ચોથાણી, હાફિઝાબેન સમાએ શોભાવ્યું હતું. પ્રારંભે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરે સૌને મીઠો આવકાર આપતાં જણાવ્યું હતું કે, વિધવા અને છૂટાછેડા થયેલા બહેનો ઘેર બેસી સિવણ મશીન દ્વારા સીલાઈનું કામકરી પોતાનું ગુજરાન ચલાવી શકે તેમજ સમાજમાં સ્વમાન સાથે ગૌરવભેર જીવન જીવી શકે તેવા ઉદ્દેશ અને દાતાની અંતરની ભાવનાઓથી આ સિવણ મશીન મહિલાઓને અપણ કરાયા છે. સંસ્થાના ઉપપ્રમુખ પૃથ્વીરાજસિહ જાડેજા તથા મંત્રી સુરેશભાઈ માહેશ્વરીએ એક સદ્ગુહસ્થ દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી મહિલાઓને પગભર થવા જણાવ્યું હતું. ૨૮ વિધવા બહેનો તથા ૪ છૂટાછેડા લીધેલા બહેનોને દાતાશ્રી પરિવારનાં નનીતાબેન કેરાઈ તથા મંજુબેન કેરાઈનાં હસ્તે સિલાઈ મશીનો અપણ કરાયા હતા. દાતા પરિવારનાં બંને બહેનોનું સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવેલ. આશિકાબેન ભટ્ટે સંસ્થાની પ્રવૃત્તિઓ તથા ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. દરેક સમાજની વિધવા તથા છૂટાછેડા લીધેલ બેનોનેપગભર કરવાનાં કાર્યને અદ્ભૂત કાર્ય ગણાવ્યું હતું. સિલાઈ મશીન લાભાર્થી બહેનોએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમને સીલાઈ મશીન તથા રાશનકીટ મળી છે. અમે ઘેર બેસી સીલાઈ કામકરી અમારૂં ગુજરાન ચલાવી શકશું. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભારદર્શન શંભુભાઈ જોષીએ કરેલ. વ્યવસ્થામાં રમેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનેયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, મુળજીભાઈ ઠક્કર, જેરામસુતાર, દિપક જાની, ભુપેન્દ્ર બાબરીયા, નરશી પટેલ, વિનોદ પટેલ તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો.