અંજારમાં બંધ મકાનમાંથી 1.48 લાખની માલમતાની તસ્કરી

અંજારમાં એક બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો રૂ.1.48 લાખની માલમતાની તસ્કરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. શહેરના મકલેશ્વર નગર-2માં પ્લોટ નં.53માં ગત તા.26/1 ના સાંજના અરસા થી તા.28/1 ના સવારના અરસામાં તકસ્રોએ ખાતર પાડયુ હતું. અજાણ્યા શખ્સો ઘરનું તાળા તોડીને અંદર પ્રવેશ્યા હતા અને બેડરૂમની તિજોરીમાંથી સોનાની ચેઈન કિંમત રૂ.18 હજાર, ઘડીયાળ કિંમત રૂ.5 હજાર, લેપટોપ કિંમત રૂ.25 હજાર, જુદી-જુદી કંપનીના’ મોબાઈલ ફોન નં.7 કિંમત રૂ.70 હજાર તથા રોકડા રૂ.30 હજાર સાથે કુલ રૂ.1.48 લાખની માલમતા લઈને ફરાર થયા હતા. પોલીસે તારાબેન ઈશ્વરગર ગૌસ્વામીની ફરિયાદના આધારે આ કૃત્યમાં સામેલ શખ્સોને ઝડપી પાડવાની દિશામાં વ્યાયામ હાથ ધર્યો છે. આ અંગે વધુ તપાસ પી.એસ.આઈ સી.બી.રાઠોડ ચલાવી રહ્યા છે.