નવી ટ્રેનના પ્રારંભ સાથે રેલવેમંત્રી પાસે યાત્રી સુવિધા વધારવા સાંસદે કરી લેખિત માંગણીઓ.
મલ્યાલી સમાજની લાંબા સમયથી માંગણી અને સંસદના પ્રયત્નો પછી અંતે આજે ગાંધીધામથી સાઉથ ભારતને જોડતી રેલવે સેવા ગાંધીધામ-તિરુનેલવેલી હમસરફ ટ્રેનનો આજથી કચ્છના સંસદ અને રાજ્યકક્ષાના રેલવે મંત્રી રાજેન ગોહાઈનાં હસ્તે પ્રારંભ થયો હતો. ગાંધીધામ વસ્તા મલ્યાલી સમાજે લાંબા સમયથી આ ટ્રેનની માંગ કરી હતી. ત્યારે આજે આ સાપ્તાહિક ટ્રેનનો કચ્છથી પ્રારંભ થયો હતો. જોકે નવી ટ્રેનના પ્રારંભ સાથે કચ્છમાં રેલવે સુવિધા વધુ મજબૂત બનાવવા અને કચ્છના રેલવે મુસાફરોની વધુ ટ્રેનની માંગણી ઓને પડઘો પણ આજે કચ્છના સંસદ ફરી લેખિત સ્વરૂપે રાજ્યમંત્રી સુધી પહોંચતો કર્યો હતો જેમાં નવી ટ્રેન સાથે રેલવેના લગતા 11 પ્રશ્નો ઉકેલ માટે સાંસદ વિનોદ ચાવડાએ રજુઆત કરી તેના ઉકેલ માટેની આશા રાખી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.