‘આલા હઝરત’ ટ્રેનની અનિયમિતતાથી લોકોમાં આક્રોશ.
ગાંધીધામમાં હમસફર એક્સપ્રેસને પેઅસ્થાન કરાવવા આવેલા રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહેન સમક્ષ કચ્છના સાંસદે ભુજ-બરેલી વચે કલાકો સુધી અનિયમિત રીતે દોડતી ટ્રેન નિયમિત અને સમયસર દોડાવવા ભારપૂર્વક રજુઆત કારી છે. રાજ્યમંત્રીને આપેલા એક આવેદન પત્ર માં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું છે કે, છેલ્લા 8 મહિનાથી આ ટ્રેન 8 થઈ 10 કલાક મોડી ચાલે છે આ અંગે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અને અમદાવાદ ડીઆરએમ સમક્ષ રજૂઆતો કારી પરંતુ કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી.
ટ્રેનની અનિયમિતતા થી લોકોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે. અહીંના માધ્યમો કેન્દ્ર સરકાર, રેલવે મંત્રાલય અને સાંસદ સભ્યની કાર્યપધ્ધતિ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. જ્યાં સુધી આ ટ્રેન નિયમિત ના થાય ત્યાં સુધી વિશેષ રેક ફાળવવામાં આવે તથા કચ્છને સાંકળતી રેલ સુવિધાઓ વધારવા અંગે તેમને વિવિધ રજૂઆતો કરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.