ભુજ શહેરમાં પાણી પૂરી ની લારીઓ ધમધમતી ચાલે છે અને ગંદગી પણ જોવા મળે છે તંત્ર દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે
આપણે વાત કરીએ તો સમગ્ર ભુજ ની અંદર ઠેક ઠેકાણે પાણી પુરીની લારીઓ વાળા જોવા મળે છે ત્યારે આ પાણી પૂરી વાંળાઓ ખરાબ પાણી, ખરાબ બટેટા અને એના પણ ખરાબ હાથ નાખી અને પાણી પૂરી બનાવતા હોય છે થોડા સમય અગાઉ તંત્ર દ્વારા એક નિયમ બહાર પાડવામાં આવ્યો હતો કે દરેક પાણી પૂરી ની લારીઓ પાસે સ્વચ્છતા હોવી જોઇયે અને પોતાનો બનાવેલો મસાલો પણ સ્વચ્છ હોવો જોઇયે અને પાણીમાં કે મસાલા બનાવતી વખતે પોતાના હાથમાં પ્લાસ્ટિક ની કેપ અને માથામાં પણ પ્લાસ્ટિક ની કેપ પહેરેલી રાખવી જેવા અનેક નિયમો બહાર કાઢવામાં આવ્યા હતા અને તંત્ર દ્વારા થોડા સમય ચેકિંગ પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ ચેકિંગ ખાલી આ નિયમ પૂરતું માત્ર 15 થી 20 દિવસ જ હાથ ધરવામાં આવી ત્યાર બાદ આ લારીઓ વાળાઓ ઉપર કોઈ ચેકિંગ હાથ ધરવામાં નથી આવી અને (1) એક મહિના બાદ ફરી પાછું એજ ગંદગી અને એજ મસાલાઓ અને પાણી ગંદા જોવા મળ્યા અને આજ દિન સુધી એમજ ચાલે છે એવું શા માટે? ખરેખર તો તંત્ર દ્વારા આ નિયમ ને ધ્યાનમાં રાખી અને ચેકિંગ હાથ ધરવી જોઇયે જેથી લોકોમાં રોગચાળો ન ફેલાય આપણે હાલની વાત કરીએ તો આ લારીઓ વાળાઓ પાસે ગંદઘી અને વપરાતા મસાલાઓ પણ ગંદા હોય છે અને આ ગંદા મસાલાઓ અને ગંદઘી ના કારણે લોકોમાં અનેક રોગો ફેલાય છે ત્યારે આ લારી વાળાઓ ઉપર તંત્ર દ્વારા ખાસ નોધ લઈ અને ચેકિંગ હાથ ધરવામાં આવે જેથી લોકોમાં રોગચાળો ન ફેલાય તેવી લોક માંગ કરવામાં આવી હતી