ભારે વરસાદને કારણે મુંબઇ જતી ટ્રેનોમાં અટવાયા પ્રવાસીઓ.

ભારે વરસાદને કારણે આજે મુંબઇ જતી કચ્છની ટ્રેનો અડધે અટવાઈ ગઈ છે. મુંબઇ દાદર અને બાંદ્રા જતી ટ્રેનો નાલસોપારા રેલવે સ્ટેશને ભરાયેલા પાણીને કારણે વિરારથી આગળ જઇ શકી નથી. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે સુપરફાસ્ટ એ.સી.એક્સપ્રેસ વિરાર અટકાવી દેવામાં આવી છે. તો કચ્છ એક્સપ્રેસના ભુજના પ્રવાસીઓએ જણાવ્યું હતું કે આશરે ૯ વાગ્યાથી વલસાડ પાસેના અમલસાડ સ્ટેશને અટકાવી દેવાઈ છે. જે હવે ઘોલવાડ સુધીજ જશે તેવું ૧૨ વાગ્યે જાણવા મળ્યું છે. કચ્છ પ્રવાસી સંઘની યાદી પ્રમાણે સયાજીનગરી ટ્રેન વલસાડ સુધીજ જશે અને પરત ભુજ માટે સયાજી આજે વલસાડથી સાંજે ૫.૫૫ વાગ્યે જ્યારે કચ્છ એક્સપ્રેસ ઘોલવાડથી આજેબરાત્રે ૭.૫૫ વાગ્યે ઉપડશે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *