રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને ગળે લગાવ્યા.

 

સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હતું જેમાં પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

 

જોકે ભાષણ પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની જગ્યાએ પહોંચ્યા હતાં જ્યાં તેમને ગળે લગાવ્યા હતાં. ગળે લગાવ્યા બાદ ફરીથી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને બોલાવીને કાનમાં કંઈ કહ્યું હતું. રાહુલ ગાંધીના ભાષણ બાદ પીએમ મોદીની જગ્યાએ જઈને તેમને ગળે લગાવ્યાં હતાં. જોકે પીએ મોદીએ હસતાં હસતાં રાહુલ ગાંધીને હાથ મિલાવ્યો હતો અને તેમના કાનમાં કંઈ કહ્યું હતું.

 

રાહુલ ગાંધીએ ભાષણ પૂરું કરીને મોદી સાથે હાથ મિલાવવા ગયા હતા અને પછી તેમને ભેટી પડ્યા હતા. જોકે સંસદમાં તમામ પક્ષના નેતાઓ બૂમાબૂમ કરી મૂકી હતી. રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીને ગળે મળ્યો તે વિવાદ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *