લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના ચાંન્દ્રોડી ગામની સીમમાં આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર તથા મોમાય માતાજીના મંદિરની મૂર્તિઓને ખંડિત કરી હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર અજાણ્યા ઇસમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી લાકડીયા પોલીસ


પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી. ઝાલા.સા. ભચાઉ વિભાગ ભચાઉનાઓના સીધા માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્શ આધારે લાકડીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ચાંન્દ્રોડી ગામની સીમમાં આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર તથા મોમાય માતાજીના મંદિરની મૂર્તિઓને ખંડિત કરી હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર ઈસમ મનજી વિભાભાઈ કોલી ઉંમર-વર્ષ ૩૫ રહે. હંજીયાવાંઢ તા॰ ભચાઉ કચ્છ વાળાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી લાકડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફ.આઈ.આર નંબર-૧૧૯૯૩૦૧૧૨૨૦૦૭૯/૨૦૨૨ ઇ.પી.કો કલમ-૨૯૫ મુજબનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ડીટેક્ટ કરેલ ગુનો –
લાકડીયા પોલીસ સ્ટેશન ગુના નંબર-૧૧૯૯૩૦૧૧૨૨૦૦૭૯/૨૦૨૨ ઇ.પી.કો કલમ-૨૯૫
પકડાયેલ આરોપી –
મનજી વિભાભાઈ કોલી ઉંમર-વર્ષ ૩૫ રહે.હંજીયાવાંઢ તા. ભચાઉ કચ્છ
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.આર. વસાવા સાહેબ અને પોલીસ કોન્સ્ટેબલ વરજાંગભાઈ રાજપુત તથા લાકડીયા પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.