ભુજના ખારસરા મેદાનમાં ચેતવણી બોર્ડ લગાડવા છતાં કચરો,રેતી અને બિલ્ડીંગ નું મટિરિયલ નાખવામાં આવી રહ્યું છે.

નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરીએ ભુજ શહેરમાં આવેલા ખારસરા મેદાનની આમતો ભુજની અંદર ગણા રમતના મેદાન આવેલ છે તેમાનું એક ખારસરા મેદાન છે જેમાં કેટલાક ક્રિકેટ ખેલાડીઓ દરરોજ રમતા હોય છે તો આ મેદાનમાં તંત્ર દ્વારા જાહેર ચેતવણીનો મોટો બોર્ડ લગાડવામાં આવ્યો છે જેના લખાણમાં ચોખ્ખા શબ્દમાં લખેલું છે

કે આ મેદાનની અંદર  તેમજ મેદાનની બહાર કોઈ પણ વ્યક્તિએ ગંદકી કરવી નહીં કે કોઈ પણ જાતનો કચરો નાખવો નહીં કે વપરાયેલ બિલ્ડીંગનું મટિરિયલ રેતી, પુર નાખવો નહીં કસૂરવાર નગરપાલિકા અધિનિયમની જોગવાઈ મુજબ ગુનેગાર ઠરસે.

પરંતુ આ ચેતવણીની જાણે કોઈ પરવાર જ ન હોય તેમ આ જગ્યા ઉપર જે તે વ્યક્તિઓ  દ્વારા કચરો તેમજ પુર ઠાલવામાં આવે છે. આ મેદાનમાં રમતા ક્રિકેટ પ્રેમીઓ એ જણાવ્યુ હતું કે આ કચરા અને પુરના ઢગલાના કારણે અમને ક્રિકેટ રમવામાં ઘણિજ મુશ્કેલી પડે છે. તો તંત્ર દ્વારા આ પુર તેમજ કચરાને તાત્કાલિક ધોરણે અહી થી ઉપવાડી લેવામાં આવે જેથી અહી રમતા ક્રિકેટ પ્રેમીઓને મુશ્કેલી ન પડે કચરો અને પુર ફેકવા વાળાઓ ઉપર તંત્ર કડક હાથે કાર્યવાહી કરે તેવી લોક માંગ કરવામાં આવી છે અને જે રીતના બીજા મેદાનોને વિકસાવમાં આવ્યું છે

એવી રીતના આ ખારસરા મેદાન પણ વિકસાવમાં આવે તેવી ક્રિકેટ પ્રેમીઓની માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *