સુરેન્દ્રનગરના મફતીયા પરામાં રૂપિયાની લેતી- દેતીમાં હત્યા

સુરેન્દ્રનગર દૂધની ડેરી પાછળ આવેલા મફતીયા પરામાં રહેતા એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે રૂપિયા ૫૦ હજારની લેતીદેતી બાબતે ઝઘડો થયો જે અંગે સમાધાન કરવા ગયેલા પરિવાર પર સામેના પરિવારજનોના પાંચથી વધુ સભ્યો દ્વારા ઘાતક હથિયારો વડે હુમલો કરતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું જ્યારે ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા વઢવાણ દૂધની ડેરી પાછળ રહેતા સંજયભાઈ પનારાને આજ વિસ્તારમાં રહેતા ભાવિન સોમાભાઈ કોળી નામના શખ્સ સાથે રૂપિયા ૫૦ હજારની લેતી-દેતી બાબતે ઝઘડો થયો જે બાબતનું મનદુઃખ રાખી ભાવિન, રવિ ઉર્ફે ટકો અને રાહુલ ઉર્ફે ભાણાએ રાતના સમયે મફતીયાપરા નજીક સંજયને છરીના ઘા માર્યા.

જે બાબતે સંજયના પરિવારજનો ભરતભાઈ પનારા, વિનોદભાઈ પનારા, વિપુલ ભાઈ, કમલેશભાઈ પનારા સહિતનાઓ આરોપી ભાવિનના ઘરે સમજાવવા માટે ગયા પરંતુ સમજાવટ કે સમાધાન અંગે કોઇ વાતચીત થાય તે પહેલા જ ભાવિન સોમાભાઈ, રવિ ઉર્ફે ટકો, રાહુલ ઉર્ફે ભાણો, દશરથભાઈ સોમાભાઈ, મરઘાબેન સોમાભાઈ પ્રવીણભાઈ સોમાભાઈના પત્ની સહિતનાઓ ધોકા, છરી સહિતના હથિયારો વડે સંજયના પરિવારજનો પર તૂટી પડ્યા

જેમાં કમલેશભાઈ પનારાને ગંભીર ઇજાઓ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો તેમજ ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત પણ બન્યા હતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને મૃતકની લાશને પીએમ માટે મોકલી હત્યા અંગેનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા.