જામનગરના વાલકેશ્વરીનગરી વિસ્તારમાં બીમારીથી કંટાળી જિંદગી ટૂંકાવી

જામનગરમાં વાલકેશ્વરીનગરી વિસ્તારમાં રહેતી એક પરણીતાએ ગળાફાંસો ખાઈ અપધાત કરી લીધો જે મામલે પોલીસ તપાસ ચલાવે. શહેરના પોશ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ભારે ચકચાર મચી, જો કે, પ્રાથમિક તપાસમાં બિમારીથી કંટાળીને પરિણીતાએ આપધાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું એમ પોલીસસૂત્રોએ જણાવ્યું. આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં વાલકેશ્વરીનગરી સ્વરૂપ હાઈટ્સ બ્લોક નં.810માં રહેતી રીનાબેન અમિતભાઈ દેત્રોજા નામની 26 વર્ષની પરિણીતાએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપધાત કરી લઇ પોતાની જિંદગી ટૂંકાવી લીધી.

આ બનાવ અંગે મૃતકના પતિ અમિત ગોરધનભાઈ દેત્રોજા એ પોલીસને જાણ કરતાં સિટી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવતીને છેલ્લા એકાદ વર્ષથી કબજિયાતની તેમજ પેટના દુ:ખાવાની બીમારી હતી. જે બીમારીથી કંટાળી જઈ આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું. જે મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ.