હવે નખત્રાણામાં ગૌ માતા લંમ્પી રોગ થી થસે મુક્ત 


નખત્રાણા ના ગામમાં ગૌ સેવા સમિતિ દ્વારા પશુઓ માટે લંમ્પી રોગથી બચાવવાના પ્રયાસો હેઠળ ક્વોરેન્ટાઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લંમ્પી રોગના લક્ષણો ધરાવતા ગૌ વંશ દ્વારા બીજા પ્રાણીઓને ચેપ ન લાગે તે માટે અલગ રાખવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.કચ્છમાં પ્રથમ વખત ગૌ-માતા માટે અલગ સેન્ટર બનાવી હંગામી વ્યવસ્થા ઊભી કરવામાં આવી ,ત્યારે મૃત્યુ પામેલા ઢોરના મૃતદેહોના નિકાલ માટે જેસીબી મશીનથી લઈ જઈ ખાડો ખોદીને અંતિમ વિધિ સુધીની સેવા આપવામાં આવી.
બીમાર પશુઓને ઇમર્જન્સી સારવાર આપી અને બચાવવાના પ્રયાસો કરવામાં આવશે. ગામ અને આસપાસના વિસ્તારના પશુઓને ક્વોરેંટાઇન કરવામાં આવ્યા છે. અત્યાર સુધી અંદાજિત 1500 જેટલા પશુઓની સારવાર થઈ ચૂકી છે. જેમાંથી માત્ર ને માત્ર ચાર પશુઓ જ મૃત્યુ પામ્યા, તેનો પણ સમિતિ ને વસવસો છે.
સમગ્ર ગામમાં શેરીએ-શેરીએ ફરી ગૌ સેવકો લંમ્પી રોગગ્રસ્ત પશુઓનની શોધ કરીને સારવાર આપી રહ્યા છે. જો કોઈ બીમાર પશુ દેખાય એટલે તુરંત ઘોડમાં દવા ટેબલેટ નાખીને પશુની સારવાર કરવામાં આવે છે. લીમડાથી કરેલ ગરમ પાણીથી સ્નાન કરવામાં આવે છે અને દેશી ઘરગથ્થુ ઉપહાર પણ કરવામાં આવે છે જેથી કરીને અન્ય પશુઓ ચેપ ના લાગેઘેટા ભરેલી ટ્રકમાં અનેક ઘેટાઓ પણ મોતને ભેંટ્યા ઘેટા ભરેલી ટ્રકમાં અનેક ઘેટાઓ પણ મોતને ભેંટ્યા બનાસકાંઠા જિલ્લામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે પાલનપુરના એસબીપુરા પાટીયા પાસે બે ટ્રકો વચ્ચે ટક્કર થતા ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા. રાજસ્થાનથી ઘેટા ભરી ગુજરાત આવી રહેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો. ટ્રક ડ્રાઈવર સહિત ટ્રકમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.